The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
bookreview Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful bookreview quote can lift spirits and rekindle determination. bookreview Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#hindi #bookreview #horror
किताब: मुर्दाघर
लेखक: साबिर खान
पब्लिकेशन:शोपिजियन
कीमत:२२१₹
मुर्दाघर लेखक साबिर खान द्वारा लिखी एक किताब मुर्दाघर सस्पेंस और हॉरर से भरपूर कहानी बयाँ करती है।किताब के नाम को देखकर अनुमान लगाया जा सकता है की किताब की कहानी किसी मुर्दाघर यानी कि स्मशान के आसपास बुनी गई होगी।।
लेकिन यही लेखक का खेल है किताब की कहानी मुर्दाघर के आसपास बुनी तो है लेकिन यहाँ मुर्दाघर कोई स्मशान नही बल्की मुर्दाघर नामक एक किताब है ।
बीरबल नामक एक लेखक जो अपनी हॉरर कहानियों के लिए मशहूर था। उसे अपने रीडर्स को किसी नये तरीके से कहानी कहने के लिए एक असली प्रेतात्मा से अपनी किताब लिखवाने का विचार आया। जिस के बाद अपनी प्रेमिका लावण्या की मदद से वो एक ऐसे तांत्रिक से मिलता है जो पहले एक किसान होता है लेकिन जीवन में घटी दुःखद घटना के कारण वह तांत्रिक बन जाता है।
बावला नामक इस तांत्रिक के घर से शुरू होती है एक खौफनाक, रहस्यमय कहानी। एक बिना सिर और सीने पे बड़ी सी आंख वाला बेहद डरावना खबीस जो इस किताब का सूत्रधार बनता है और शुरू करता है एक खूनी खेल।
अब वो खबीस कौन है? और बावला किसान से तांत्रिक क्यों बना? वह जानने के लिए और खूनी खेल का रहस्य समझने व उसका मजा लेने के लिए तो आपको किताब पढ़नी होगी।
कहानी का वर्णन इतने अच्छे से किया गया है की कहीं भी सिकवन्स से हटता हुआ नही लगेगा।चाहे वो बावला के घर के कमरे में छोटे बच्चो के कटे हुए शरीर हो या कोई और घटना।किताब के हर नए चेप्टर में एक नई कहानी है। खबीस का नया मोहरा है ,और एक नया किरदार है।
इस के अलावा कहानी में किरदार के नाम बेहद रोचक है जैसे की मुमकिन , जो की कहानी में इंस्पेक्टर की बीवी का नाम है।ऐसा शायद ही कोई सोच सकता है। बीरबल जिस नाम को लोग बुद्धिमता के तौर पर देखते है, उसको कहानी में एक ऐसा लेखक बताया जिसके पागलपन की वजह से कई लोगो की जान गई और तो और उसका जीवन भी खतरे में आ गया।
किताब मे नापसंद करने जैसा कुछ भी नही है। बस कहानी के अंत को लेखक ने ऐसा मोड दिया है जैसे लगता है लेखक अभी इस पर एक और किताब लिखना चाहते हो। कहानी मुझे बेहद पसंद आई। आपको भी जरुर पसंद आयेगी। तो आज ही आर्डर करे शोपिजन प्लेटफार्म से।
-divyamodh96(diya's poetry)
#bookreview #gujrati
પુસ્તકનું નામ:"નાનકડી વાતો જીવનની."
લેખક:મીના એચ.શાહ
કિંમત:૧૬૫ રૂપિયા.
સમય સાથે માણસ બદલાય છે યુવાનીથી વૃદ્ધત્વ તરફ જાય છે અને આ ગાળા દરમિયાન માત્ર તેની ઉંમરમાં કે જવાબદારીઓમાં જ નહિ પણ લાગણીઓમાં પણ ઘણા બદલાવ આવતા હોય છે.આ એક સત્ય છે. પરંતુ બીજુ સત્ય એ પણ છે કે ઉંમરના કોઈપણ પડાવે એક લાગણી જે સનાતન રહેતી હોય છે એ છે પ્રેમ અને વહાલ મેળવવાની.
ઉંમરના અલગ અલગ પડાવ પર કદાચ તેને જોવાની કે મેળવવાની રીત જુદી જુદી હોય પરંતુ દરેક પડાવ પર પ્રેમ,વહાલ હૂંફની ઝંખના દરેક વ્યક્તિને રહેતી હોય છે આ સત્યને સાબિત કરતું અથવા કહી શકાય કે સમજ આપતું પુસ્તક એટલે મીના એચ.શાહ દ્વારા લખાયેલ "નાનકડી વાતો જીવનની."
કલાને ક્યારેય કાટ નથી લાગતો.જવાબદારીઓની ધૂળ ખંખેરતા જ કલા સજીવન થઈ જાય એ વાતને સાચી સાબિત કરતા મીના શાહે જીવનનો એક પડાવ પૂરો કર્યા બાદ કલમ પકડી જીવનના અલગ અલગ તબક્કે વ્યક્તિની બદલાતી લાગણીઓ અંગેના અનુભવની વાત આ પુસ્તકમાં કરી છે.
કુલ ૩૦ જેટલી ટુંકી વાર્તાઓ તેમજ ૮ જેટલી માઇક્રોફિકસનથી સજેલી આ પુસ્તકની જીવનસાથી નામની વાર્તામાં પિતા પુત્રીનો પ્રેમ છે તો જીવન પ્રવાસ નામની વાર્તામાં સંતાનના જીવનમાં માતાપિતા બંનેના મહત્વની વાત છે.
"એકરાર", "ચાંદી કી દીવાર" નામની વાર્તા યુવાનીના પ્રેમ વિશે સમજાવે છે તો સાચો વેલેન્ટાઇન અને આદત પતિ પત્નીના જીવનમાં પ્રેમ અને હૂંફની હકીકત સમજાવે છે.
" બાનું લોકડાઉન" અને "સિક્કાની બે બાજુ" નામની વાર્તાઓ આજના યુગમાં સાસુ વહુ વચ્ચે થતી ગેરસમજણ થી થતા ઝઘડાઓ વિશે સમજાવે છે."નાનકડી વાતો જીવનની"આ કોઈ અસાધારણ કિસ્સાઓ કે વાર્તાઓનો સંગ્રહ નથી.
પુસ્તકની દરેક વાર્તા જીવનના કે લાગણીઓના એ મુદ્દાઓ પર આધારિત છે જેને દરેક વ્યક્તિ સમજતો હોવા છતાં અવગણી લેતો હોય છે.તેમાં પણ મને સૌથી વધારે ગમેલી વાર્તા "અલ્ઝાઇમર" તેમજ "૨૦૫૦ની નારી"આજના યુગમાં નવો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે.
પુસ્તકની સારી વાત એ છે કે કોઈપણ વાર્તા ૨ પેજથી વધુ નથી તેમજ ભાષા પણ એકદમ સમજાય તેવી સરળ છે.
insta-divyamodh96 (diya's poetry)
#bookreview
પુસ્તક નામ: ક્ષિતિજ ને પાર
લેખક: અવિરત
"ક્ષિતિજ ને પાર" અનાયાસે હાથમાં આવેલું એક પુસ્તક જે "અવિરત" નામના લેખક દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક શેના વિશે લખાયું છે એ જણાવતા પહેલા એક વાત કહી દઉં કે, જે લોકોને પુસ્તકના દેખાવ અને એનું પ્રેઝન્ટેશન જોઈને પુસ્તક લેવાની આદત હોય એવા વાચકો માટે આ પુસ્તક કદાચ નથી.
પુસ્તક વાંચતી વખતે એવું પણ લાગ્યું કે કોઈ વ્યક્તિએ સામાન્ય વર્ડપેડમાં લખેલી સ્ક્રિપ્ટ છાપી દીધી હોય .
"ક્ષિતિજ ને પાર" પુસ્તક એક મોટીવેશનલ પુસ્તક છે. આ પુસ્તકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓને વિકસાવવામાં ધ્યાન આપે તો એ વ્યક્તિ જીવનમાં અચૂક સફળતા મેળવી શકે.
બીજી મોટીવેશનલ પુસ્તકની જેમ જ આ પુસ્તક પણ જીવનની સફળતા માટે "એકાગ્રતા", "આત્મવિશ્વાસ" જેવા પસાઓના મહત્વને દર્શાવે છે અને સમજાવે છે કે જીવનમાં શું નથી મળ્યું તેની ફરિયાદ કરવા કરતાં, તેના અંગે વિચાર કરી સમય બરબાદ કરવા કરતાં તમારે જીવનમાં શું મેળવવું છે ?અને હાલમાં તમારી પાસે શું છે? તેમજ તમારી પાસે રહેલી ક્ષમતાનો ઉપયોગ કરી તમે સફળતા કેવી રીતે મેળવી શકો છો? એના વિશે વિચારતા રહેવું જોઈએ કેમ કે તમારી સફળ થવાની તીવ્ર ઈચ્છાઓ અને સફળતા માટેના સતત વિચાર જ તમને જીવનમાં સફળતા મેળવવા માટેના નવા ઉપાયો તરફ લઈ જાય છે.
આ પુસ્તક વાંચતી વખતે મને "જોસેફ મર્ફી" નામના લેખક દ્વારા લખાયેલ "પાવર ઓફ સબ કોનસિયસ માઈન્ડ" પુસ્તકની યાદ આવી. જો તમે પણ એ પુસ્તક વાંચ્યુ હશે તો આ પુસ્તકની વાતો કદાચ તમને કોઈ ખાસ પ્રેરણા નહિ આપી શકે.
પુસ્તકની સારી બાબત એ છે કે, આ બધા સફળતાના સૂત્રો લેખકે એક યુવાન ગરીબ છોકરીના જીવનની સફરને વર્ણવતી હૃદયસ્પર્શી વાર્તા દ્વારા સમજાવ્યા છે જેના લીધે તમને પુસ્તક વાંચવામાં થોડો રસ જરૂર પડશે. કેથરીન નામની એક ગરીબ પરિવારની છોકરીને અચાનક એક ડાયરી મળે છે અને એ ડાયરીમાં લખાયેલ કેટલીક વાતો એના જીવનની સાચી દિશા શોધવામાં મદદરૂપ બને છે.
કોઈપણ મોટીવેશનલ પુસ્તક તમારા જીવનમાં ત્યારે જ ફેરફાર કરી શકે, જ્યારે એ પુસ્તકમાં લખાયેલી વાતોનો અમલ તમે તમારા જીવનમાં કરો આ વાતને લેખકે કેથરીનની બદલાતી આદતો અને તેને લીધે તેના વ્યક્તિત્વમાં આવતા ફેરફાર દ્વારા ખૂબ સારી રીતે વર્ણવી છે. પણ જો તમે કઈક નવું વાંચવાની અપેક્ષા રાખતા હોય તો આ પુસ્તક તમારા માટે નથી અને જો તમે કોઈ બીજાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને બદલી શકતા હોય તો તમારે એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ.
-diya's poetry (Divya modh)
✨❤📚 પુસ્તક પ્રવાસ 📚❤✨
એપિસોડ 3,
પુસ્તક:- વેરોનિકા (ગુજરાતી એડીશન)
લેખક:- પોલો કોએલો
પ્રકાશક:- આર. આર. સેઠ પ્રકાશન
✨✨✨✨✨✨✨✨
શું તમે તમારા મૃત્યુ પછી જીવન જીવવાની ઈચ્છા રાખી શકો? પુસ્તક વેરોનિકામાં એક એવા જીવનની વાત કરવામાં આવી છે જે અપૂર્ણ મૃત્યુ પછીનું જીવન છે.
આ પુસ્તક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર 'અલ્કેમિસ્ટ' ના સુપ્રસિદ્ધ લેખક પોલો કોએલોની એક ઉમદા રચના છે.
ડિપ્રેશન, એકલતા અને તણાવને કારણે ક્યારેક માણસ કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારે છે. વાર્તાની નાયિકા વેરોનિકા પણ એમાંની એક છે. વાર્તામાં નાયિકા એકલતા, તણાવ અને ડિપ્રેશનને કારણે ઉંઘની ઘણી બધી ગોળીઓ એક સાથે લઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કારણોસર તેણીને સફળતા મળતી નથી. જ્યારે તેની આંખો ખુલે છે ત્યારે તે વિલેટમાં હોય છે. માનસિક રોગીઓની હોસ્પિટલ વિલેટની દુનિયા બાહ્ય દુનિયા કરતાં સંપૂર્ણ અલગ છે. અહીં તેના પર અને અહીં જ તેના નવા બનેલા મિત્રો પર કરવામાં આવતાં પ્રયોગો રોચક છે. મેડિકલ અભ્યાસ કે હોસ્પિટલ સાથે કોઈ પણ રીતે જોડાયેલા લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. ડો. ઈગોરના પાત્ર દ્વારા ઘણી માહિતીઓ આપવામાં આવી છે.
આજની વાસ્તવિકતા દર્શાવીને પણ લેખકે માનવજીવનનાં ઘણાં પ્રશ્નોના ઉતર આપ્યાં છે તેમજ પોતાની કલ્પના શક્તિથી વાર્તાને ઉત્તમ રીતે ઘડી છે. એમ કહી શકાય કે, વાસ્તવિકતા અને કાલ્પનિક ઘટનાઓનું ગજબનું કોમ્બિનેશન અહીં જોવા મળે છે.
પુસ્તકમાં વણવામાં આવેલી અમુક વાતો ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી લાગી.
1) ખરો હું એટલે તમે જે છો તે, બીજા લોકો તમને બનાવે છે તે નહીં.
2) આ જગતમાં કશું જ બાય ચાન્સ બનતું નથી.
આવી તો ઘણી વાતો...
પુસ્તકમાં દર્શાવેલી અમુક વાતો કદાચ વ્યાજબી ના પણ લાગે, અમુક મોટા પ્રકરણોનો કારણે ક્યાંક કંટાળો પણ આવે, તેમ છતાં ખૂબ જ રસપ્રદ અંત અને અંત સુધી જકળી રાખતું વાર્તા તત્વ હોવાને કારણે વાર્તા વાંચવાની ચોક્કસ મજા પડશે.
પુસ્તક પ્રવાસ
સમીક્ષક:- કિશન એમ. દાવડા @author.dk15
❤✍❤📚✨😍🤗
#books #bookreview #pustakpravas #paulocoelho #veronica #gujaratibooks #authors
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.