Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
*પંડિત દીનદયાળ ઉપાધ્યાય*
પુણ્યતિથિ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮
🔸️દસમા ધોરણ અને ઈંટરમીડિએટ પરીક્ષામાં *બોર્ડમાં પ્રથમ*.
🔸️બી.એ, એમ.એ પ્રથમ શ્રેણીમાં ઉત્તિર્ણ. પ્રશાસનિક પરીક્ષા પાસ કરનાર.
🔸️ RSSના પ્રચારક, ચિંતક, કુશળ સંગઠનકર્તા.
🔸️ભારતીય જનસંઘના અધ્યક્ષ
🔸️ *રાષ્ટ્રધર્મ, પાંચજન્ય, સ્વદેશ* જેવી પત્ર-પત્રિકાના પ્રારંભમાં સહયોગી.
🔸️સનાતન વિચારધારાને યુગાનૂકુલ પ્રસ્તુત કરનાર.
🔸️ *એકાત્મક માનવ દર્શન* ના પ્રણેતા.
🌞 એકાત્મ માનવ દર્શન એક એવું દર્શન છે કે જે મનુષ્યનો વિચાર કેવળ *'આર્થિક માનવ'* ના એકાંગી દૃષ્ટિકોણથી ન કરતાં, જીવનના બધા પાસાનું તથા એવા માનવનું અન્ય માનવો તેમજ માનવેતર સૃષ્ટિની સાથે પરસ્પરપૂરક એકાત્મ સબંધોને પણ ધ્યાનમાં લઈ *સમૃદ્ધિ, સુખી તેમજ કૃતાર્થ જીવનની દિશા* દર્શાવે છે.
🌞 *એકાત્મ માનવ દર્શન ભારતીય સંસ્કૃતિનું જીવનદર્શન* છે. ભારતીય સંસ્કૃતિ એકાત્મવાદી છે, એટલે કે શરીર,મન,બુદ્ધિ તેમજ આત્માથી યુક્ત; ધર્મ,અર્થ,કામ અને મોક્ષની ચતુર્વિધ પુરુષાર્થોની સાધના કરવાવાળા અને એક સાથે જ પરિવાર,જાતિ,રાષ્ટ્ર તેમજ માનવ-સમાજ વગેરે _વિવિધ એકાત્મ સમષ્ટિઓનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા રાખવાવાળો_ *માનવ* આ *દર્શનનું કેન્દ્રબિંદુ* છે.
👉🏽👉🏽પશ્ચિમી દેશોમાં માનવતાવાદના નામ પર અનેક વિચારધારાઓ પ્રચલિત છે. પરંતુ તેમાંથી અધિકાંશ વિચારધારાઓ *કેવળ ભૌતિકવાદી* છે, આથી તે *માનવ-કલ્યાણની દ્રષ્ટિથી સફળ નથી* થઈ.
*એકાત્મવાદી સંસ્કૃતિના આપણી સૌ વાહકો ધર્માધિષ્ઠિત માર્ગે સમુત્કર્ષના શુભસંકલ્પને ફળીભૂત કરી, નિઃશ્રેયસના અધિકારી બનીએ... તે જ પં.દીનદયાળજીને સાચી શ્રદ્ધાંજલિ*.🙏🌸
🌷 *એકાત્મતાની સંસ્કૃતિ~હિન્દુ સંસ્કૃતિ* 🌷
*સમષ્ટિના હિતની સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏