સૌંદર્ય નાશવંત છે એ સમજાવવા જ તો ભગવાને ફૂલોનું સર્જન કર્યું છે.
પણ માનવી આ સમજતો નથી. સૌંદર્યની પાછળ ઘેલો થાય છે. સ્ત્રીઓ તેમજ પુરુષો પોતાને સુંદર દેખાવવા પાછળ એટલાં ખર્ચા કરે છે કે એ કમાવવા માટે પણ ક્યારેક ખોટું કામ કરી દે છે.
સુંદર દેખાવ માનસિક છે. કહેવાય છે ને કે સૌંદર્ય જોનારની આંખોમાં વસે છે. ક્યારેય કોઈ માને એનું બાળક કદરૂપુ દેખાયું છે? ક્યારેય નહીં.
#શુભરાત્રિ