માનવી અને પ્રભુનું સરનામું...
હૃદય-મગજ અને તન ઈચ્છે હવે, ભૌતિક સુખમાં રાચવાનું;
તેમાં ભાગવત અને ગીતા હવે, ક્યાં વાંચવાનું.
માનવીનું રોમ-રોમ હવે, ગાડી-બંગલા પાછળ દોડવાનું;
તેમાં ક્યાં બને હવે, રામ-કૃષ્ણને મળવાનું.
ઘડપણ આવે એટલે બતાવે બધાને, પોતાનુ પુણ્યનામુ;
તેમાં ક્યાં મળે માનવીને હવે, આમાં પ્રભુનું સરનામું.
©-લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'