પ્રેમ સમયની સાથે હંમેશા વધતો જાય. જેમ જેમ સમય પસાર થાય એમ એમ પ્રેમ વધું સુંદર , સુશીલ, સરળ અને મજબૂત બને. પ્રેમનો ક્યારેય નાશ નથી થતો કારણ કે, પ્રેમ આત્મા માંથી પ્રગટે છે અને આત્મા અમર છે ! અંતર નો પ્રકાશ એટલે પ્રેમ !

વ્યક્તિનો દેખાવ જોઈને ગમવા લાગે તો એ પ્રેમ નથી. વ્યક્તિનું અંતર જોઈને ગમે એ પ્રેમ જ છે. ચહેરો જોઈને પ્રેમ નથી થતો; દિલ જોઈને પ્રેમ થાય છે. પોતાની વ્યક્તિ ગમે તેવી હોય એને સંભાળી લેવી આ પ્રેમ છે.સારી વ્યક્તિ ને જ પોતાની બનાવવી આ બિલકુલ પ્રેમ નથી , મોહ અને વાસના છે. પ્રેમ કયારેય થતો નથી, થઈ જાય છે." કરેલા પ્રેમનું આયુષ્ય ક્ષણીક હોય છે, જ્યારે થઈ ગયેલા પ્રેમનું આયુષ્ય અંતિમ શ્વાસ સુધી હોય છે ! " મારો જ એક શેર :

"સામે આવો તો એક વાત કહેવી છે,
રહી ગઈ ત્યાંથી શરુઆત કરવી છે.

ગમ તણી પરવા નહોથી કરવી હવે,
ફરી પ્રેમથી એક રાહત લહેવી છે."

શબ્દો છે શ્વાસ મારા🖊️ડૉ.રૉયલ

-Dr Rahul Dund PT

Gujarati Motivational by _truth_love_compassion_ : 111759042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now