ઓગળી જાય છે લાગણી અહિં બરફ જેમ‌ જો,
પ્રેમથી તો ભળી જાય છે ,દિલ તરત એમ જો.

વાયુ સંગે જરા ખોલવી પાંખ મનની પછી,
ઊડતા આસમાને, સહજ દિલ ફરત એમ જો.

ધૂતની જેમ હારી જવાનાં જીવન અહિં જરુર,
પાંડવો કેમ હારી ગયા ? એ શરત એમ જો.

ગૂંચવાડો કદી થાય ઊભો પછી કરવું શું?
ખોલતા રહેવું ત્યા વિચારોની પરત એમ જો;

ઝૂલતું છે મૃગ તૃષામાં જ મન હંમેશા આપણું,
ખોલતા રહેવું દિલથી ને તારા ખરત એમ જો;

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111758310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now