જો મૌન માં છૂપો જરા અણસાર હોય છે
ઝાંઝર તણો કોઈ ,ખનક ઝણકાર હોય છે.
ઋજુ છે હ્દય જો છે ખરેખર જેમનું,
તેઓ જરા તો લાગણી કરનાર હોય છે.
જ્યાં છે શરારત જો સ્વભાવિક દિલની ત્યાં,
પ્રેમાળ જો ચૂંટણી જરા ખણનાર હોય છે.
તત્વો માં બાંધે છે સદા માયાની દોરડી,
ચાદર કબીરો ત્યાં ખરો વણનાર હોય છે,
બલિદાન દેનારા માં ,ભારત કાજ માવડી,
ભડવીર એવા જો સપૂત જણનાર હોય છે
-Mohanbhai Parmar