કોયલ કેટલું મધુર ગાય છે. ( કે બોલે છે) તેમ જ પોપટ પણ મીઠું મીઠું બોલે છે. પરંતુ પોપટ ને ક્યારેક ક્યારેક પાંજરામાં પુરાઈ ને રહેવું પડે છે. કારણ તે ઘણી વાર માણસ ની નકલ કરે છે. જ્યારે કોયલ હંમેશાં સ્વતંત્ર રહે છે. કારણ કે તે પોતાની બોલી બોલે છે.
જીવનમાં હંમેશા પોતાની બોલી પોતાની ભાષા પોતાના વિચારો ને મહત્વ આપવું જોઈએ કારણ કે બીજાની નકલ કરવા જતા ના તો આપણે એ વ્યક્તિ બની શકીએ છીએ ઉલટું આપણે ખુદનું અસ્તિત્વ પણ ગુમાવી બેસીએ છીએ.
અને આપણે શા માટે કોઈ બીજા જેવું બનવું છે. દરેક વ્યક્તિને અમુક ખાસિયત ઈશ્વરે બક્ષી છે. જે તેને બીજા લોકો થી અલગ પાડે છે. બસ જરૂરત છે એ ખાસિયત ને ઓળખવાની એ બધા સદગુણો ને પિછાણવાની, એને નિખારવાની અને એમને બહાર લાવવાની.
પછી જુઓ તમારૂ વ્યક્તિત્વ કેવું ખીલી ઊઠે છે. હા કોઈના જીવનમાં થી પ્રેરણા લેવી સારી બાબત છે પણ પોતાના અસ્તિત્વ ને ગુમાવી તેના જેવું બનવા તેની નકલ કરવા પર ઉતરી જઈએ એ ખોટું છે. ઉલટું પોતાનું જીવન એવું બનાવો કે લોકો તમારા જીવન માંથી પ્રેરણા લે અને કહે મારે આના જેવું જીવન જોઈએ..
આ સાથે ગીતા પરમાર ના જય શ્રી કૃષ્ણ 😊🙏