કોઈ કારણ કીધું, રાત્રે અંધારું,
સૂરજ મળે , પ્રેમ સ્વરૂપ સુચારું.
ને ઝાકળ ભીનો , સંયોગ હોય ,
સૂરજ મૈત્રી ભાવે મોત સુધારું.
પળેપળ નો હિસાબ ત્યાં માગશે,
જીવતર ઈમાનદારી તણું ધારું,
હુંસાતુંસી ની હોય દુનિયા દારી,
નિષ્કામી બની ફક્ત કર્મ નિહારું.
સફર છે આનંદ મય અનુભૂતિ,
જીવન જીવી આદર્શ ખૂદ ઉગારું.
-મોહનભાઈ આનંદ