રખે માનતા ક્યારેય ઘા નથી થયા મુજ પર,
પણ ઝળહળી રહી જ્યોત આંતરમહી.
ઝીલ્યા, સંકોર્યા ને કર્યા અળગા સઘળા ઘા,
ત્યારે પથરાયો છે અજવાશ આંતરમહી.
હાર માની તૂટી જવું એ વાતમાં શું માલ છે,
બસ ઢંઢોળ સ્વ ને, અખૂટ ભંડાર તારા મહીં.
સમયાંતરે આ સુખ દુઃખનું પૈડું ફર્યા કરવાનું,
માણ તું પ્રત્યેક ક્ષણ ને ભીતરે ભીનાશ સહી.
ઝાલજે તું હાથ એનો જે લંબાવે સંગ તુજ,
માણજે સંગાથ એનો ને કહાની અનકહી.
✍...... ઉર્વશી.