કેમ કોઈને ય જરી ય જંપ નથી?
જીવવાના ભ્રમમાં ક્યાં ય કોઈ કંપ નથી.
લોકોના છે ટોળેટોળાં, માંહોમાંહે જરી ય સંપ નથી,
માણસ હોવાનું મહોરું, ક્યાં ય કોઈ સંત નથી.
ચારેકોર દોટંદોટ, ઈચ્છાઓનો અંત નથી,
ચર્ચાનો કોઈ સાર નથી, કયાં ય કોઈ તંત નથી.
આતંકના પ્રકોપમાં કોઈને દેખાતો બંડ નથી,
માન્યું કર્મ કેરું કાળચક્ર, ક્યાં ય કોઈ દંડ નથી.
દર્પણ સામે ય છળ, લાગે જાણે કોઈ દંભ નથી,
નથી સંવાદ, ક્યાંય કોઈ નિર્દંભ નથી.
-Smita Trivedi