કેમ કોઈને ય જરી ય જંપ નથી?
જીવવાના ભ્રમમાં ક્યાં ય કોઈ કંપ નથી.

લોકોના છે ટોળેટોળાં, માંહોમાંહે જરી ય સંપ નથી,
માણસ હોવાનું મહોરું, ક્યાં ય કોઈ સંત નથી.

ચારેકોર દોટંદોટ, ઈચ્છાઓનો અંત નથી,
ચર્ચાનો કોઈ સાર નથી, કયાં ય કોઈ તંત નથી.

આતંકના પ્રકોપમાં કોઈને દેખાતો બંડ નથી,
માન્યું કર્મ કેરું કાળચક્ર, ક્યાં ય કોઈ દંડ નથી.

દર્પણ સામે ય છળ, લાગે જાણે કોઈ દંભ નથી,
નથી સંવાદ, ક્યાંય કોઈ નિર્દંભ નથી.

-Smita Trivedi

Gujarati Poem by Smita Trivedi : 111604747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now