https://www.matrubharti.com/shaileshjoshi0106gma
શુન્ય
બહુ અદ્ભૂત અવસ્થા છે.
શુન્ય સ્થાને પહોંચેલ લોકોમાંથી
કોઈ લમણે હાથ રાખી, ત્યાંજ બેસી જાય છે.
કોઈ થોભી, માત્ર વિચારોમાંજ લાંબો સમય વ્યતીત કરે છે.
તો કોઈ, ત્યાંથીજ નવી શરૂઆત કરી, અદ્ભૂત સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
ખરેખર તો
શુન્ય અવસ્થા એ સમજાવે છે કે
હવે તારે જાતેજ કંઈ કરવાનું છે.
તુ કરી શકે છે.
તારે કોઈના આધાર/સહારાની જરૂર નથી.
જેનામાં ફરી ઉભા થવાની કાબેલિયત હોય, એનેજ આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
બસ ખાલી આળસ/નિરાશા ખંખેરી, કાબેલિયતને કામે લગાડવાનું એકજ કામ કરવાનું છે.