#મેલુહા_ના_અમત્યો #પુસ્તક_સમીક્ષા #અમીશ_ત્રિપાઠી
મહાન સમ્રાટ ભગવાન રામનું પરિપૂર્ણ સામ્રાજ્ય મેલુહા. જે રામે આપેલા આદર્શ નિયમોના આધારે ચાલે છે પણ આતંકવાદીઓના આક્રમણથી ખૂબ પરેશાન છે આ પરેશાનીમાંથી નીલકંઠ જ ઉગારશે તેવી દંતકથા છે. અનિષ્ટ આતંકવાદીઓ નો સંહાર માટે નીલકંઠ પધારશે! શું પૂર્વગ્રહ રહિત નીલકંઠ આતંકવાદીઓને ઓળખીને તેનો નાશ કરી શકશે? દંતકથા સમાન નાયક નીલકંઠ ભગવાન રામ નું અધુરું કાર્ય પૂરું કરી શકશે ?
૨૧ વર્ષ ના શિવની અદભુત યાત્રા. માનવ પોતાના કાર્ય થી માનવ માંથી માહમાનવ બંને છે. આ પુસ્તક માં 'સપ્તઋષિઓની ઉત્પતિ કેવી રીતે થઈ! ક્યાં નિયમો સાથે કાર્ય કરતા' 'માનવ ના શરીર નું વૃદ્ધ થવું' મેલુહા ના લોકો નું જીવન ધોરણ, અમરપીણુ સોમરસ' વિશે બહુ સરસ માહિતી આપી છે. અમીશ ત્રિપાઠી નું ખૂબ સરસ પુસ્તક છે. વાંચવા લાયક, તમે પણ જરૂર વાંચજો. શિવકથા ની આ નવલકથા કુલ ત્રણ ભાગમાં છે. આ પુસ્તક નો પહેલો ભાગ છે. બીજો ભાગ 'નાગવંશ નું રહસ્ય' છે જે નવલકથા ને આગળ વધારે છે . આગળ ના ભાગ વાંચી ને પુસ્તક સમીક્ષા માં પાછા મળીએ.
છેલ્લે પરખ ભટ્ટ નો ખુબ ખુબ આભાર કે મને આટલું સરસ પુસ્તક વાંચવા માટે સૂચન કર્યું.
- સોનલ પટેલ

Gujarati Book-Review by Sonal : 111588024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now