¤ સાવધાની ¤
¤ સાવધાનીનો સીધો સંબંધ સમય સાથે છે, અને
એટલે જ કહેવાયું છે કે અણી ચૂક્યો સો વરસ જીવે,
ચકલીયું ખેતરમાં ઉગ્યું ખાઈ જાય પછી એને ઉડાડવાની સાવધાની દેખાડવી હાસ્યાસ્પદ લાગશે,
સાવધાનીની ખૂબ જાહેરાતો કરી, સાવધાન રહેવા
માણસોને મજબૂર કર્યાં, ટૂંકમા માણસથી બની શકે
એટલું મહારોગનું મહાસંક્રમણ રોકવા મહા પ્રયત્નો
કરવા છતાંયે મહારોગ ઘટવાના બદલે વધ્યો, બધી
રીતની તૈયારી માણસે બતાવી પરંતુ મહારોગની તૈયારી
આગળ એ પાંગળી પડી, બીજાના ભલા માટે બીજાને
સાવધાનીની સલાહ આપવી કેટલી સહેલી છે,,? !
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#સાવધાની