આજનો માણસ;
ઝંખે છે સુખ, મેળવે છે દુ:ખ,
એટલે થઈ પરિસ્થતિ ડામાડોળ.

આજનો માણસ;
ઝંખે છે વિજય, મેળવે છે પરાજય,
એટલે બને છે સ્થિતિ નાજુક.

આજનો માણસ;
ઝંખે છે આકાશ, મેળવે છે પાતાળ,
એટલે થાય છે ગૂંગળામણ.

આજનો માણસ;
ઝંખે છે પ્રેમ, મેળવે છે દ્વેષ,
એટલે થાય છે ધબધબાટી.

બધાને બધું મળે જીવનમાં જરૂરી નથી,
જે મળે એમાં થાય જો 'આનંદ મંગલ ',
તો જ જિન્દગાની બને 'પરમ સમ્યક સુખધામ.'
DK(રાધા)
#વિજય

Gujarati Poem by દીપા : 111571698

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now