#મંદિર
અહીં સુધી પહોંચ્યા પછી સવાલ થયો હું કોણ?
જવાબો ઘણાં હતાં પણ કોઈ મનનાં માયલાને ગમે તેવા નહીં... સબંધો ને બાંધી મેં અનેકાનેક તર્કો મુક્યા. પણ મન માને નહીં. મનની જિજ્ઞાસા ને હું પામી શકી નહીં.હારી થાકીને મારા પગ અચાનક મંદિર તરફ વળ્યાં. ત્યાં ફક્ત ઠાલી થઈ બેઠીતી.. ને અંદર થી અવાજ આવ્યો..તું તો પરમાત્માનો અંશ છો જેને પરમાત્માએ આ પૃથ્વીપર સારા કર્મો થકી ઉમદા કાર્ય માટે મોકલેલ છે...ત્યારે થયું હું કૃષ્ણ ભક્તિ ની એ સરિતા છું જેને આમ જ વહેતું રહેવાનું છે..
sonal patadia.