મળી હતી એક નિખાલસ વ્યક્તિ..
ખૂબ જ ઉમદા અને ઋજુહ્રદયી..
નિર્દોષતા ભરી આંખો એની શીતળ છે એ ચંદ્ર સમી
હોઠો પર મુસ્કાન એની ..બગીચે ખીલેલા પુષ્પ સમી
પ્રકાશપુંજ સમો ઝગમાંગતો ચેહરો ઉગતા સૂર્યનાતેજસમો
હસવું, હસાવવું એનું કામ,..નિરાશોને એ આપે હામ
રડતાને એ હસાવી જાણે.. ઉદાશીને એ ભગાવી જાણે
માર્ગ ભૂલેલાને રાહ બતાવે સાચી દિશાનું ભાન કરાવે
મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડે વાંચક્રગણને પ્રેરણા પુરી પાડે
માઁ સરસ્વતીનો એ છે ઉપાસક લેખન વાંચનનો એ ચાહક
ઘાયલ કલાપી અને મેઘાણી પ્રેરણાસ્ત્રોત એની એ ત્રિપુટી
કવિતાનો એ પ્રેમી છે ..શાયરીનો દિવાનો છે
અંદારથી ક્યારેક રડતો હોય,,બહારથી સદાય હસતો હોય
ગૌરવ છે ઘમંડ નહિ..અહંકારનું નામ નિશાન નહિ
થોડો અકડું,,થોડો ગુસ્સેલ,,મુજને માટે એ શ્રેષ્ઠ ગુરુવર..
એક મિત્ર,, ગુરુ અને માર્ગદર્શક એવા "ભાર્ગવ જોશી" ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ 💐
લખતા રહો..આગળ વધતા રહો...