થયો હશે ભગવાનને પસ્તાવો,
જ્યારે માનવીને પોતાના જ લોકોનું
નિકંદન કાઢતા જોયા હશે...
થયો હશે એ માં ને પસ્તાવો,
જ્યારે પોતાના પુત્રને કોઈ અબળાનું ચીરહરણ કરતાં પકડ્યો હશે...
થયો હશે એ શિક્ષકને પસ્તાવો,
જ્યારે એના વિદ્યાર્થી ઉચ્ચ ભણતરને ધંધો બનાવીને કમાતા હશે...
થયો હશે એ ચિત્રકારને પસ્તાવો,
જ્યારે એના માતૃત્વના ચિત્રને બિભત્સ નજરે લોકો નિહાળતા હશે...
#મારીરચના
#પસ્તાવો