થયો હશે ભગવાનને પસ્તાવો,
જ્યારે માનવીને પોતાના જ લોકોનું
નિકંદન કાઢતા જોયા હશે...

થયો હશે એ માં ને પસ્તાવો,
જ્યારે પોતાના પુત્રને કોઈ અબળાનું ચીરહરણ કરતાં પકડ્યો હશે...

થયો હશે એ શિક્ષકને પસ્તાવો,
જ્યારે એના વિદ્યાર્થી ઉચ્ચ ભણતરને ધંધો બનાવીને કમાતા હશે...

થયો હશે એ ચિત્રકારને પસ્તાવો,
જ્યારે એના માતૃત્વના ચિત્રને બિભત્સ નજરે લોકો નિહાળતા હશે...

#મારીરચના
#પસ્તાવો

Gujarati Shayri by Sonal : 111563386
Sonal 4 years ago

આભાર 🙏🏻😇

Ketan Vyas 4 years ago

https://quotes.matrubharti.com/111563446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now