#મૃત્યુમહોત્સવ
નનામી નીકળશે શણગારેલી, ત્યારે એનું નામ કોને પૂછશો?
ન-નામી છતાં મહેરામણ ઊમટે, એ નનામી મારી જ જાણશો!
મારા જન્મ દિવસે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે
"જન્મ ઉત્સવ છે તો મૃત્યુ મહોત્સવ છે.."
એવા ટાઈટલથી આર્ટીકલ પોસ્ટ કર્યો છે.
એમાં લખ્યું છે કે, "આપણા જવાથી કોઈની આંખમાં પીડાંના નહીં પરંતુ આપણી સાથે વિતાવેલ સમયમાં મેળવેલ આનંદ થકી જે આંસુ આવે મારા માટે તો એ જ મૃત્યુ મહોત્સવ."
આપણાં જીવતાં જીવ જ અનહદ પ્રેમ એક વ્યક્તિ દ્વારા નહીં પણ અનેકો તરફથી મળે એ જ મારા માટે તો મોક્ષ.
આજ મૃત્યુ મહોત્સવ.
મને કોઈ પણ પૂછે, કે," શું કરે છે, આજકાલ?" તો મારો જવાબ એક જ હોય "મારા મય્યતનું મહેરામણ ઊભું કરું છું." મારી પાછળ રડવાં માટે નહીં. મારા મૃત્યુનો મહોત્સવ ઉજવવા. કારણ હું મારા માધવ પાસે જઈ રહી હોઉં એ વાત મહોત્સવ જ હોય.
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya