ભક્તિ કેવી હોવી જોઈએ?
મોરયા ગોસાવી નામથી 14મી સદીમાં એક સંત થઈ ગયા જેઓ ગણેશજીનાં ખૂબ મોટા ભક્ત હતા. તેઓ શાલિગ્રામ ગામ, કર્ણાટકના રહેવાસી હતા. તેઓએ મોરગાંવ પુણેમાં માયુરેશ્વર મંદિરની સ્થાપના કરી હતી. કહેવાય છે કે અષ્ટવિનાયક તીર્થયાત્રાની શરૂઆત પણ એમણે શરૂ કરાવી. સંત મોરાયની સમાધિ ચિંચવાડ પુણેમાં છે.
ગણપતિ બાપ્પા મોરયામાં જે 'મોરયા' છે એ આ મહાન સંતના નામથી જોડવામાં આવેલું.