...#...ભવિષ્યપુરાણ...#...
શિલુજીના સૌજન્યથી...
ભવિષ્યપુરાણ આશરે ૧૪૫૦૦/- શ્લોકો દ્વારા નિર્મિત અને વેદ વ્યાસજી દ્વારા લખાયેલ છે.
ભવિષ્યપુરાણમાં સૂર્યની મહિમા અને વર્ષના ૧૨ મહિના કેવી રીતે થયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બધા પુરાણોમાં ઘણાં કરીને શિવ-પાર્વતી તથા બ્રમ્હાજી -વિષ્ણુજીની મહિમાનું વર્ણન જોવા મળે છે. પરંતુ ભવિષ્યપુરાણ જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેમાં "પ્રત્યક્ષ દેવ" એવા "સૂર્ય દેવ"ની મહિમા બતાવવામાં આવી છે.
આ પુરાણમાં સૂર્યદેવને જગતના પાલનકર્તા અને વિધ્વંસકર્તા પૂર્ણબ્રમ્હના રુપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જેમાં સૂર્યદેવના પરિવાર,એમની અદ્દભુત કથાઓ અને એમને પ્રસન્ન કરવાના તમામ વિધિ-વિધાન બતાવવામાં આવ્યા છે.સાથે સાથે સૂર્યદેવના વિરાટ સ્વરુપનું વર્ણન,દ્વાદશ મૂર્તિઓનું વર્ણન તથા સૂર્યદેવની રથયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે.
તદુપરાંત આ પુરાણમાં બ્રમ્હા,ગણેશ,કાર્તિકેય,અને અગ્નિ આદી દેવોનું વર્ણન અને એમની વચ્ચે થયેલા સંવાદો દર્શાવવામાં આવ્યા છે.
જુદી જુદી તિથિઓ-નક્ષત્રો અને એમના અધિષ્ઠાતા દેવ તથા એમને પ્રસન્ન કરવાની રીતો -વ્રતો બતાવવામાં આવ્યા છે.
એવી જ રીતે બ્રમ્હચારીધર્મનું નિરુપણ, ગૃહસ્થધર્મનું નિરુપણ,સ્ત્રી-પુરુષોના શુભાશુભ લક્ષણ,સ્ત્રીઓના કર્તવ્ય,ધર્મ,સદાચાર તથા ઉત્તમ વ્યવહારની વાતો દર્શાવવામાં આવી છે
આમાં વિક્રમ-વેતાળના સંવાદો છે.
આ પુરાણમાં નંદ વંશ, મૌર્ય વંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી અને મહારાણી વિક્ટોરિયાનું વર્ણન મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સાંબ આખ્યાન છે.
શ્રી કૃષ્ણ - યુધિષ્ઠિર સંવાદ છે...
રાજા શતાનિક અને સુમન્તુ ઋષીના સંવાદ છે.
આમાં નાગપંચમી વ્રતનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સાત પાતાળ લોક તથા નાગ જાતીના ઉદ્દભવની માહિતી, નાગોના સ્વભાવ તથા એમની વિવિધ જાતી તથા વિષની તિવ્રતા અને ઉપચાર બતાવવામાં આવ્યા છે...
મહાન કથા શ્રી સત્યનારાયણ કથા -વિધિઓનું વર્ણન આમાં જ કરવામાં આવેલું છે.આ કથા સ્કંદપુરાણની કથા કરતાંય વધુ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે.
ભવિષ્યપુરાણનો પ્રતિસર્ગપર્વનો ત્રીજો ખંડ અત્યંત રોમાંચક અને વિસ્મયકારી છે. આમાં રાજા "શાલિવાહન" તથા "ઇસામસિહ"(ઇસુ ખ્રિસ્ત) ની કથાનું વર્ણન છે. એક વખત રાજા શાલિવાહને હિમશિખર પર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા સુંદર પુરુષને જોયો. રાજાએ કુતુહલવશ એમનો પરિચય પૂછ્યો તો એ પુરુષે પોતાને "ઇસામસિહ " બતાવ્યો. અને એમના સિદ્ધાંતોનું વર્ણન કર્યું.
રાજા શાલિવાહનની દશમી પેઢીએ "રાજા ભોજ" થયા. એ મહાદેવના અનન્ય ભક્ત હતા.
એમણે મદીનાના(મક્કા) મરુસ્થલમાં ભગવાન મહાદેવના દર્શન કર્યાં.એમની પૂજા-અર્ચના કરી.
ભગવાન શિવના આદેશથી એમણે એ મરુભૂમિનો ત્યાગ કરી ઉજ્જૈનના મહાકાલેશ્વર તિર્થમાં વાસ કર્યો...
આમ આ પુરાણમાં એ સમયે હજુ થઇ પણ નહોતી એ ઘટનાઓનો વિસ્તારપૂર્વક અંદેશો આપવામાં આવ્યો છે. અને હજુ પણ જે નથી થયું એ થવાના અણસાર આપેલા છે..
જો યોગ્ય રીતે આ પુરાણના શ્લોકોનું વિશ્લેષણ કરવામાં આવે તો માણસ ભવિષ્યદર્શન કરી શકે છે...
શુભસ્તુ...
જય ભોળાનાથ....
હર... હર... મહાદેવ.... હર...