it's ok to be not ok..
ખુશ રહો.. કેટલું સહેલું છે ને કોઈને સલાહ આપવું કે ખુશ રહેવાનું. પણ શું એ શક્ય હોય છે કાયમ ખુશ રહેવું? ના નથી જ હોતું અને એમાં કંઈ ખોટું નથી કે આપણે કોઈ ઘટના ઉપર કે કોઈ કારણથી દુઃખી થઈએ. ખુશ થવું કે દુઃખી થવું એ માણસના મનની દશા છે. આપણામાં દરેક જાતના ભાવ હોય અને એ હોવા જરૂરી પણ છે. જો એકપણ ભાવ અાઘો પાછો થાય તો માણસનું સંતુલન બગડે. એટલે જ તો કાયમ ખુશ રહે એવા માણસને પાગલ ગણવામાં આવે છે. તો કોઈ પણ દુઃખી માણસને સલાહ આપતા પહેલા એક વાર એના દુઃખનું કારણ જાણીને એને મદદ કરવા પ્રયત્ન કરવો જોઈએ. બીજી ખાસ મદદ ના કરી શકીએ તો કંઈ નઈ પણ ઓછામાં ઓછું એને સાંભળવો તો જોઈએ જ. પણ એની જગ્યાએ ઘણી વાત એવું બને કે આપણે એને જજ કરવા લાગીએ અને શિખામણોનો ખડકલો કરી દઈએ એની સામે. એ બધું સાંભળીને એ માણસ ખુશ થવું તો દૂર રહ્યું ને વધારેને વધારે દુઃખી થતો જાય. તો ચાલો કોઈના દુઃખમાં સહભાગી થઇએ અને સુખમાં ખુશ થઇએ, અને સાચો માનવ ધર્મ નિભાવીએ.
©શેફાલી શાહ
#ખુશ