છો ધર્માંધ ભલે દુનિયા આખી,
તને ગતાગમ નથી શું ધર્મની?
થાય જો ટીલા ટપકાં ને ઘસાય ચંદન
તો જ શું થશે પૂજા ને ગણાશે ધર્મ?
ઘડી બે ઘડી આંખ બંધ કરી મૂર્તિ નિહાળી
શું ખરેખર, તું અંતરથી પામશે ધર્મને?
વિકારોથી શરીરની મુક્તિ પણ અઘરી છે,
તુજ મનની વાસના શાંત થાય એ જરૂરી છે.
તિલક કરી ધર્મનો ધ્વજ તો કોઈપણ લહેરાવે,
જો તું પતાકા લહેરાવે માનવધર્મની તો શું?
#ધર્માંધ

Gujarati Poem by દીપા : 111517327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now