"સમય" આ સમય ના વ્યક્તિ છે,ના જીવ,ના વસ્તુ છતાં પણ જીવિત રહે છે..આ સમય એ નથી પાણી, નથી વાયુ, નથી અગ્નિ,પણ આપણા જીવન નો આધાર છે આ સમય, માણસ સમય નાં હાથ માં રમે છે. ક્યારેક કોઈક નો સમય સારો જાય છે, ક્યારેક કોઈક નો ખરાબ જાય છે,કોઈ સમય આવવાની રાહ જોવે છે કોઈક સમય જવાની રાહ જોવે છે , પણ સત્ય તો એ છે કે આ સમય કોઈ નાં હાથ માં આવતો જ નથી, આ સમય દેખાતો નથી પણ બધા ને બધું દેખાડી દે છે,સમય એ દેખાડે છે કોણ આપણું છે અને કોણ પરાયું ,આપણા હિતેચ્છુ કોણ છે? મિત્ર કોણ છે? અને દુશ્મન કોણ છે? આ સમય જ આપણ ને બતાવે છે કે આપણે કેટલા સક્ષમ છીએ અને કેટલા નિર્બળ છીએ..આ સમય બધું બતાવી ને જ જાય છે..