* વિશ્વનો મહા ગ્રંથ મહાભારત વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, * તો પણ, તેના માત્ર *૯ સાર-સુત્રો જ,*
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..

૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો- (*કૌરવો*)

૨) તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે.. * (*કર્ણ**)

૩) સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- (*અષ્વત્થામા*)

૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે .. (*ભીષ્મપિતા*)

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે- (*દુર્યોધન*)

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે .. * (*ધ્રુતરાષ્ટ્ર**)

૭) વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - (*અર્જુન*)

૮) બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, બધો વખત સફળ નહીં થાવ- (*શકુનિ*)

૯) જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- *( *યુધિષ્ઠિર**)

💐 जयश्री कृष्ण 💐

Gujarati Good Evening by Bhumika Vyas : 111501243
Ketan Vyas 4 years ago

. સુંદર ....અદ્દભૂત......effective 👌👌. 👌👌🏽. 👌👌👌. 👌🏽👌🏽👌 વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206 _____@_______@_____@_____@_____@_____

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now