ઠેસ
મારા નાજુક નાનકડા દિલ ને લાગી છે ઊંડી ઠેસ
સમજ્યા નહિ મતલબી લોક; કિધો ફોકત નો કલેશ.
અહંકાર અને અહમ બનાવે સ્વજનો નુ જીવન અકારુ.
માટે, વાણી અને વર્તન પર રાખીયે નિયંત્રણ, તો સારુ
લાગણીઓ હોય બહુ નાજુક, સ્પર્શે એ દિલને સીધી;
એટલે મેં, વિચારીને વર્તન કરવું, એવી તાકીદ લઈ લીધી.
કરીશ સતત કોશિશ હૂં, દુર્વ્યવ્હાર અને બુરાઇયો બાળવા
અહુરા મારા, તાકત આપજે મને આં કર્તવ્ય પાળવા.
Armin Dutia Motashaw