પ્રિય શોક,
આજે તને નવાઈ લાગી રહી હશેને ? આજે તું પણ ઘણા નો પ્રિય થઈ પડ્યો એટલે. પરંતુ તેમાં એવું છે કે છેલ્લા થોડા મહિના થી દિલ ના એક ખુણા માં તે પણ જાણે અજાણે સ્થાન લઈ લીધું છે. તું એવું બિલકુલ નહિ માનતો કે તને રહેવા ની જગ્યા મળી ગઈ.તે જોયું હશે કે લોકો કપરી પરિસ્થિતિ માં પણ આનંદ માં રહેવા ના રસ્તાઓ શોધી લે છે. માટે તારું સ્થાન કદી સ્થિર રહી શકવા નું નથી તે તું સમજી લેજે.
એ જ તારી સહાધ્યાયી
આનંદી