"live in relationship"
એક એવી માયા જાળ છે કે જેને આજની જનરેશ સાચ્ચા પતિ પત્ની થઇ શકશે કે નહીં તેની ખાતરી કરવા એકબીજા પર ફેંકે છે.
આ જાળ ચાર છો મહિના સુધી રહે છે એક બીજા પર, ત્યાં સુધીમાં એક તરફા પ્રેમની શરૂઆત થઇ જાય છે.કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિના હાવભાવ પર નજર રાખે છે એ જોવા માટે કે આ વ્યક્તિ સંબંધને સાચવી શકશે ખરા? અને જે એકતરફા પ્રેમમાં હોય છે એ બીજા વ્યક્તિની ઈચ્છાઓ પર જીવવાનું શરૂ કરી દે છે. અને જે બધી જ ખાતરી કર્યા પછી કોઈ ખોટ જણાય તે આ ચાર મહિનાના સંબંધ માંથી મુક્ત થવાનું કહી દે છે,અને અંતે એક તરફા પ્રેમનું ગળું ડાબી દેવામાં આવે છે.
લગ્ન સંબંધ ખાતરી કરવાથી નહીં રિષક લેવાથી બંધાય છે,કારણ કે આ સંબંધ બે વ્યક્તિ વચ્ચે બંધાય છે,આજે ખાતરી કરી લેશો તો આવતી કાલે શું ખાતરી કે,જે જોઈને લગ્ન કર્યા એજ વહેવાર આજે પણ છે?
માણસ સ્વભાવ બદલાતો રહે છે,માટે આવા અખતરા કરવા કરતા મનને ગમ્યું કરી લેવું જોઈએ બાકી ગમે એટલા સારા હશો પણ તકલીફ તો જીવનભર રહેવાની જ સાથે,એ પછી એકબીજા પ્રત્યે હોય કે એક બીજાથી હોય સમજણ અને સમાનતા કાયમ રાખવી તકલીફ પડે પણ અહેસાસ થોડો જ થાય.
Dp,"પ્રતીક"