જન્મ જીવન મરણ એ વ્યથા છે
આમ અને ખાસ સૌની કથા છે.
કોઈની મશહૂર છે ને કોઈની બદનામ છે
તેમ છતા પોતાની ને પુનિત છે.
કથા છુપાવ્યે એ વ્યથા ચર્ચાશે
જાહેર કરે એ ચોરે ને ચૌટે બોલાશે.
ન ગમતા કિરદાર નિભાવી ,
કોઈ અમર થાય છે;
ગમતાં અભિનયમાં પણ ;
કોઈ ઠેસ ખાઈ જાય છે.
કોઈક જ નિભાવી જાણે છે,
એ અનન્ય ને અજોડ કથા.
અદ્વિતીય હોય છે એ નાટક
જેના અંતની જાણ નથી હોતી.
#અનન્ય

Gujarati Poem by દીપા : 111479465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now