બુદ્ધિમત્તા ત્યારે જ સાર્થક છે,
જ્યારે વિવેક પણ સાથે હોય.

સુંદરતા ત્યારે જ સાર્થક છે,
જ્યારે ચારિત્ર શુદ્ધ હોય.

પરિવાર નુ હોવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે તેમાં પ્યાર અને આદર હોય.

મંદિરમાં જવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે હ્રદયમાં ભાવ હોય.

વેપાર ત્યારે જ સાર્થક છે,
જ્યારે વ્યવહાર પણ સારો હોય.

પ્રસિદ્ધ ત્યારે જ સાર્થક છે,
જ્યારે મનમાં અહંકાર ના હોય.

#વિવેકી

Gujarati Poem by Harshika Suthar Harshi True Living : 111460125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now