#દુષ્ટતા
કોઈ માણસ જન્મ થી દુષ્ટ નથી હોતો. દુષ્ટ તો તેને કા હાલત બનાવી દે છે કા તો માણસ. કોઈ ને પૈસા નો અભિમાન છે હુ જે ધારું એ હુ કરીશ.
મને કોણ નાં પાડવાનું અને એ આવા વહેમમાં ઘણી દુષ્ટતા જેવા કાર્યો કરી રહ્યા હોય છે. તો બીજી બાજુ ગરીબ મારી જ સાથે કેમ આવુ થાય, મારી પાસે કેમ પૈસા નથી?? અને તે પણ પૈસા ની લાલશ માં દુષ્ટતા જેવા કાર્યો કરવા તૈયાર થઈ જાય છે.
જયારે કોઈ નાનું બાળક દુકાને જાય ને વસ્તુ લઈ ને ઘરે આવે અને દુકાન વાળાએ તને એક જ રૂપિયો પાછો આપવાનો હોય પરંતું બે રૂપિયા પાછા આપે અને આ વાત તેનાં ઘર નાં વ્યક્તિ ઓ ને જાણ થાય ત્યારે તે એમ કહે એક રૂપિયામાં શુ પાછું દેવું બેટા વાપરી જા જે એક રૂપિયો.
અને પછી એ એક રૂપિયો મોટુ સ્વરુપ લે છે. એની કરતાં બાળક તે જ વખતે સમજાવી દેવામાં આવે તો બધાં માટે સારુ સાબીત થાય છે. આવી જ રીતે કોઈ વધારે પડતી લાલશ દુષ્ટતા, દેખાદેખી માં દુષ્ટતા, જેવા કાર્યો કરી બેસી છેઃ