Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
ભૂલથી પણ આ રાશિના લોકોએ ના પહેરવી જોઇએ કાચબાની વીંટી, નહીંતર…
આમ તો દરેક રાશિના જાતકો માટે અલગ – અલગ નિયમ અને ઉપાય હોય છે. જેને કરવાથી તે સફળ થઇ શકે છે. એવામાં કેટલીક એવી પણ રાશિઓ હોય છે. જેને કેટલીક વસ્તુઓને ભૂલથી પણ ધારણ ન કરવી જોઇએ નહીંતર તેને નુકસાન પહોંચાડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રોની સલાહથી ધણા વ્યક્તિ તેમના હાથમાં રત્નોની વીંટી કે બ્રેસલેટ કે તમારા ગળામાં ચેનમાં રત્નોને મઢાવીને ધારણ કરી શકો છો. જે તેને શુભ ફળ તો આપે છે પરંતુ અશુભ ફળ પણ આપે છે. એવામાં આ રત્ન અલગ-અલગ રંગો અને અલગ પ્રકારના હોય છે અને તેને પહેરવા પાછળ કારણ પણ જાતક કુંડળીનું હોય છે.
પરંતુ આજના સમયમાં રત્નો સિવાય પણ એવી અનેક પ્રકારની વીંટી હોય છે. જેનાથી લોકો તેમના હાથમાં ધારણ કરી લે છે અને આ દરેકમાંથી એક હોય છે કાચબાની વીંટી. આમ તો આ વીંટીને ઘણા લોકો ધારણ કરે છે. પરંતુ ઘણા લોકો આ વાત નથી જાણતા કે આ વીંટી પહેરવી કેમ શુભ માનવામાં આવતી હોય પરંતુ દરેક વ્યક્તિ માટે તે શુભ ફળ પ્રદાન કરતી નથી.
જ્યોતિષી અનુસાર કેટલીક એવી રાશિઓના જાતક છે જેના માટે કાચબાની વીંટી ઉત્તમ ફળ પ્રદાન કરે છે. પરંતુ તેમાથી કેટલીક એવી રાશિઓ પણ છે જેને આ બિલકુલ અનુકૂળ અસર પ્રદાન કરતી નથી. કેટલીક રાશિઓ એવી છે જેને કાચબાની વીંટી ન ધારણ કરવી જોઇએ. કારણકે તેના માટે અશુભ માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે તે રાશિઓમાં મેષ, કન્યા, વૃશ્વિક અને મીન રાશિ છે.