૬૦ વર્ષની આસપાસ પહોંચેલા સ્કૂલના બધા મિત્રો રીયુનિયન તરીકે મળ્યા અને એકબીજાના જીવન વિષે પૂછપરછ કરતા હતા. તેમાંથી એક મિત્ર યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિવાળી તબિયત ધરાવતો તથા ઉત્સાહી હતો,બીજા મિત્રો કે જે તબિયતથી ખખડી ગયા હતા તેણે આ મિત્રની તબિયતનું રાઝ પૂછતાં તે મિત્રે જણાવ્યું કે"વિનોદવૃત્તિ, જીવનની કોઈ પણ પરિસ્થિતિને હળવાશથી લેવાની તથા મારા વિનોદી સ્વભાવે જ મને આટલો ઉત્સાહી અને યુવાન રાખ્યો છે."
#વિનોદી