વિનોદી અને ગંભીર એમ બે પ્રકારના માણસો હોય છે. એક વાર વિનોદ ભટ્ટને કોઈએ પૂછ્યું કે આ બેમાંથી તમે કયા પ્રકારમાં આવો. વિનોદભાઈએ સરસ જવાબ આપ્યો -- હું રડતો જ જન્મ્યો હતો, પછી તો વાતે વાતે રડતો તેથી કંટાળીને મારી ફોઈએ મારું નામ વિનોદ રાખ્યું એમ કહીને કે ક્યારેક તો એનામાં નામ જેવા ગુણ આવશે ! અને જુઓ આ વિનોદ તમારી સામે હાજર છે...
-- પ્રવીણ શાહ
#વિનોદી

Gujarati Thought by Pravin Shah : 111412230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now