ન કોઈ ચમત્કાર ન કોઈ પરચા કે ન કોઈ અવતાર
હે ઈશ્વર ! બોલ હવે કઈ રીતે સાબિતી આપીશ!

બધું જ ખતમ થઈ જશે, નવી શરૂઆત થઈ જશે
પછી કહેવા ન લાગતો બધું મારી મરજીથી થયું છે!

હજીયે થોડી શ્રદ્ધા બાકી છે, તું આવ ગમે તે રીતે
માની લઈશું કે સાચે જ તું સર્વવ્યાપી નિરાકાર છે!

જો ન જ આવવાનો હોય, તો પછી સાચું કહી દે,
કે આ સાલો માનવી જ ઈશ્વરનો સર્જનહાર છે!!
- અરવિંદ

Gujarati Quotes by Arvind Parmar : 111401057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now