You Can Bridle The Demon To Accomplish Your Wishes

ભૂતપ્રેતને વશમાં કરી પૂરી કરી શકાય છે કામનાઓ! શનિવારે કરો આ ખાસ તંત્ર

ભારતમાં તંત્ર વિદ્યાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અશિક્ષિત વર્ગ મોટાભાગે આ વાતો પર વધુ વિશ્વાસ કરે છે. ભૂત-પ્રેત હમેશાંથી જ માનવની રૂચિનો વિષય રહ્યો છે. અમૂક લોકો જે આ વાતોથી ડરે છે જ્યારે અન્ય લોકો તેમને પ્રત્યેક્ષ મળીને તેમનો સાક્ષાત્કાર કરવા માંગે છે. અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવો તેને કેટલાક લોકો શ્રધ્ધા અને કેટલાક લોકો અંધવિશ્વાસ કહે છે.

જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો શનિવારના દિવસે તમે આ ખાસ ઉપાય કરીને ભૂત-પ્રેમને દર્શન દેવા માટે તથા તમારું કામ કઢાવવા માટે વિવશ કરી શકો છો. જો આ ઉપાયને નવરાત્રિના દિવસોમાં કરવામાં આવે તો આ ઉપાયથી તરત જ તમારી બધી જ મનોકામના અને કાર્ય પૂર્ણ થાય છે.

શનિવારના દિવસે કોઇ એકાંત સ્થાન પર જ્યાં સફેદ આંકડાનો છોડ હોય ત્યાં જવું. ત્યાં એક સફેદ કાપડ પાથરીને તેના પર કાજળથી પોતાનું પૂરૂ નામ લખવું અને નામથી ઉપર સવા કિલો ચોખાની ઢેરી બનાવવી. ત્યાર પછી આંકડાના છોડ પર જળ અર્પણ કરવું અને કંકુ તથા રોલીથી પૂજન કરવું. પૂજન કર્યા પછી પાંચ અગરબત્તી પ્રગટાવીને આંકડાના છોડની પાંચવાર પરિક્રમા કરવી.

પરિક્રમા પૂર્ણ કર્યા પછી તે અગરબત્તીને જમીનમાં લગાવી દેવી. હવે ચોખાના ઢગલાં પણ માટીનો દીપક રાખવો. ધ્યાનમાં રાખવું કે માટીના તેલમાં સુગંધી તેલ અથવા ચમેલીનું તેલ જ હોવું જોઇએ. છોડની સામે પોતાની મનોકામના બોલીને ચોખાના ઢગલા પર દીપકને પ્રગટાવી દેવો. દીપકને પ્રગટાવીને જ તમને સફળતાનો સંકેત મળી જશે.

દીપક પ્રગટાવી લીધા પછી એક લાલ ગુલાબનું ફૂલ દીપકની પાસે અર્પણ કરી દેવું અને પાછળ જોયા વિના ઘર તરફ જતાં રહેવું. જ્યારે તમે તમારા ઘર તરફ આગળ વધશો કે, પાછળથી તમને થોડો અવાજ આવશે. આ અવાજને સાંભળીને પાછળ જોવાની કે ડરવાની જરૂર નથી. તમે નિશ્ચિત થઇ ઘરે જઇને સુઇ જાવ. ધ્યાનમાં રાખવું કે આ બધી જ ક્રિયા તમારે શનિવારે રાત્રે બાર વાગ્યે જ કરવાની રહેશે. ધ્યાન રાખવું કે આ એક તીવ્ર પ્રયોગ છે જેને કોઇ અનુભવી ગુરૂ અથવા સિદ્ધના નિર્દેશનમાં જ કરવો જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111329693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now