બધા એમ માને છે કે અમારા ધર્મ થી આગળ કઇ હોઈ જ ના શકે.અમે જે વ્યાપ માં રહીએ છીએ એજ પૂર્ણતા તેવા મિથ્યાભિમાન માં બધા રચેલા છે. ભૂલ થી કુવા માં આવી ગયેલા દરિયા ના દેડકા ની બહાર ના વ્યાપ ની વાત ની કૂવા માં ના દેડકા હસી ઉડાવે છે અને તેને કુવા માંથી બહાર કાઢે છે. તેવું આપણા સર્વ નું છે. સનાતન ધર્મ એ દરિયો છે.અને અપણે સર્વ કૂવાના દેડકા.