Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
પોરબંદરથી ઘણા વરસ પહેલા એક ફેમીલી પરદેશ એટલે કે લંડન ગયું હતું ત્યા જઇને બંન્નેને સારી એવી જોબ પણ મળી પછી તેઓ આરામ ને શાન્તિથી દિવસો પસાર ત્યા પસાર કરી રહ્યા હતા...
પણ કોઇક વાર તેમનું મન ત્યા કામ કરવાનું લાગતું ના હતું! આમેય બંન્ને ભણેલા જ હતા માટે જોબ પણ સારી મળી હતી પણ કેમ તેઓને મનોમન કચવાટ રહેતો હતો એ ખબર નહિ! પણ તેઓને ઘણી વાર તેમનું પોરબંદર વધારે યાદ આવતું હતું.
જયારે તેઓ પરદેશ ગયા તે પહેલા તેઓ અહિ ખેતીવાડી તેમજ પશુપાલનનું કામ જરુર કરતા હતા. માટે તેઓને ત્યા ગયા પછી પણ ભારતમાં કરેલા આવા કામ તેમને ત્યા કયારેક કયારેક અચૂક યાદ આવી જતા હતા..
અમુકવાર શું કરવું તે તેમને સમજ પડતી ના હતી છેવટે તેમને એક દિવસ કાયમ માટે ભારત આવીને પાછા તેમના જુના કામ ફરી ચાલું કરવાનો નિર્ણય કર્યો.
આમ તેઓએ એક સરખો વિચાર આવ્યા પછી બંન્ને જણ પેલા પરદેશની જાહોજલાલી છોડીને કાયમ માટે ભારત આવીને પોરબંદર રહેવા ચાલ્યા ગયા ને તેમને ફરી પાછું જે પહેલા મુકીને ગયા હતા તે કામ ફરી પાછા ચાલું કરી દીધા!
ખેતી કરવી, પશુઓને ચારો પાણી નાખવું, દૂધ દોહુવું!
ને હાલ આ લોકો પોતાના પોરબંદરમાં રહેછે ને તેમની પોતાની જે હતી તે ખેતી કરેછે ને પોતાના પાળેલા પશુઓનો તબેલો પણ સાચવે છે.
તમે ભાગ્યે જ કોઇ વાર સાંભળતા હશો કે કોઇ પરદેશથી પાછો પરત આવીને પોતાની ખેતીવાડી કે પશુપાલનનું કામ ચાલું કર્યુ હોય!
સિવાય કે તેને રહેવાના વધું વિઝા ના મળ્યા હોય અથવા તો તેને ત્યા કદાચ ગમતું ના હોય તેવા લોકો જ પરત ભારત આવતા હોયછે..બાકી પરદેશ ગયેલો માણસ કાયમ માટે કદી કોઇ આવે જ નહીં!
ભાઇ એ પરદેશની ધરતી છે ભલભલા ત્યા ગયા પછી તેઓ ત્યા જ રહેતા હોય છે પણ આ લોકોને તો ત્યાં જોબ પણ સારી હતી, પૈસો પણ કમાતા હતા છતાંય પણ પરત ભારત આવ્યા ને હાલ તેમને પરત ભારત આવવાનો પુરો સંતોષ પણ છે.
ધરતી કહે પુકારકે...
ચીઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, ચીઠ્ઠી આઇ હૈ...
ખરેખર કયારેક આપણને આપણી જન્મભુમિનો પ્રેમ પણ ખેંચી લાવે છે...
પૈસો પ્રદેશમાં, પણ જલસા તો ખાલી ભારતમાં જ હોયછે બીજે કયાંય નહિ...