મહેકતું સદાય એ કાંટા વચ્ચે,
સુવાસ ન એની ઘટતી કાંટા વચ્ચે.
રહેતું ઘેરાયેલું કાંટા વચ્ચે,
તોય માનીતું એ સૌ કોઈનું.
આ જ સંદેશ આપે ગુલાબ.
જો હોય આપણાં સંસ્કારો ઉંચા,
તો મહેકી ઉઠીએ દુર્જનો વચ્ચે.
દુર્જન સાથે દુર્જન ન થવાય,
આપણી માનવતા હેઠે ન મૂકાય.
-Mrs. Snehal Rajan Jani