અનુભૂતિ
ગમતી વ્યક્તિ નો
અવાજ
ઔષધિ
નું કામ કરે છે.
પિંકલ પરમાર સખી
ઘણા બધા ડોક્ટર ને કહેતા સંભાળ્યા છે. અમે અમારા બધા પ્રયત્નો કર્યા પણ જે અસર પ્રાર્થના અને દુઆ માં છે તેવી અસર દુનિયા ની કોઈ દવા માં નથી. બહુ વાર સંભાળ્યું છે અને વાંચ્યું છે કે રડતાં બાલક નો અવાજ સાંભળીને મરણ પામેલ "માં" ને નવું જીવન મળ્યું છે.
ગમતી વ્યક્તિ નો અવાજ ઔષધિ નું કામ કરે છે. પ્રેમિકા નો મીઠો અવાજ પ્રેમીને થયેલ ૧૦૫ તાવ માં અસરકારક ઔષધિ નું કામ ની જેમ ઈલાજ કરે છે. અને શરીર માં તાજગી અને સ્ફૂર્તિ નું સિંચન કરે છે.
સરહદ પર તૈનાત સૈનિક માં જીવવાનું બળ અને હિંમત માતા- પિતા, ભાઈ - બહેન, પત્ની અને તેના દીકરા અને દીકરો નો અવાજ જ પૂરું પાડે છે.
ગમતી વ્યક્તિ નો અવાજ એ કોઈ પણ બીમારી ની તાત્કાલિક તકલીફ ઓછી કરવાનો રામબાણ ઇલાજ છે.
દર્શિતા બાબુભાઇ શાહ