'વિરહની વેદના'
અતિ વહમી હોય એ વેદના વિરહની
દૂર થાય મન મળ્યા પછી એ જ જાણે
વળાવી દીધી છે દીકરી એ બાપને પૂછો કે
પિતાની પકડેલી આંગળી હવે કોણ તાણે
દૂર થતા એ એકબીજાથી બે ભેરુઓ
પાછા મળશું ક્યારે ને હવે ક્યાં ઠેકાણે
દુરી વેઠતા એકબીજાની જ્યારે
બે પ્રેમીઓ મળતા ટાણે-કટાણે
વિદાયનું એ દર્દ રાજા રામ ક્યાંથી
દૂર થયેલા પિતા એતો દશરથ જાણે
સંસાર જુએ રાધાના આંસુ કેમ
વિરહની વેદના તો કૃષ્ણનેય દજાડે
ન પુંછો કે કેવું છે દૂર થયા પછી
દર્દમાં તૂટતાં વાર નથી લાગતી કોણ જાણે ...
Dr. Dipak Kamejaliya