'વિરહની વેદના'



અતિ વહમી હોય એ વેદના વિરહની
દૂર થાય મન મળ્યા પછી એ જ જાણે

વળાવી દીધી છે દીકરી એ બાપને પૂછો કે
પિતાની પકડેલી આંગળી હવે કોણ તાણે

દૂર થતા એ એકબીજાથી બે ભેરુઓ
પાછા મળશું ક્યારે ને હવે ક્યાં ઠેકાણે

દુરી વેઠતા એકબીજાની જ્યારે
બે પ્રેમીઓ મળતા ટાણે-કટાણે

વિદાયનું એ દર્દ રાજા રામ ક્યાંથી
દૂર થયેલા પિતા એતો દશરથ જાણે

સંસાર જુએ રાધાના આંસુ કેમ
વિરહની વેદના તો કૃષ્ણનેય દજાડે

ન પુંછો કે કેવું છે દૂર થયા પછી
દર્દમાં તૂટતાં વાર નથી લાગતી કોણ જાણે ...


Dr. Dipak Kamejaliya

Gujarati Poem by Kamejaliya Dipak : 111822529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now