જીવન અણમોલ ભેટ મળી,પણ જિંદગી ટ્રેનની સફર જેવી છે.
ક્યા સ્ટેશન પર રોકાવું,ક્યાં જઈને સાચું સરનામું શોધવું,ટ્રેનની સફર જેવું છે .
અવનવા મુસાફરો સાથે ચાલી રહેલી ટ્રેન ,અને આપણા વિચારોથી ભરેલું ચંચળ મનની ગતિ સતત ચાલતી ટ્રેન જેવી છે.
ક્યાં જઈને સાચું સરનામું શોધવું, મુશ્કેલ બની રહી જિંદગી,માનવતા કચડાઇ ગઇ,જીવન પસાર થઈ રહ્યું,છતાં રોકાઈ ના જિંદગી જાણે બની ગઈ ચાલતી ટ્રેન જેવી મુસાફરી .
ટ્રેનની સફર તો યોગ્ય મુકામે લઈ જાય,જીવનનો સાચો મુકામ શોધવામાં જીવન પૂરું થાય,કેવી રીતે ભૂલી શકાય ,ટ્રેનને લીલીઝંડી બતાવી રોકાઈ શકાય.જીવન એમ થોડું પૂરું થાય.એટલો ફર્ક ટ્રેન અને જીવન વચ્ચે રહી જાય છે.
-Bhanuben Prajapati