થાય છે સૂર્યોદય દરરોજ સવારે,
ઉગે છે સૂરજ એક જ દિશાએ...
શરુ કરે છે માનવી જિંદગીનો
એક નવો દિવસ,
માનીને આભાર પ્રભુનો કે
આપ્યો એક વધુ દિવસ જીવવાને...
દિવસનો સૂર્યોદય તો થઈ જાય છે,
ક્યારે થશે સમાજમાં જાગૃતિનો સૂર્યોદય?
શું હેરાન થશે મધ્યમવર્ગ આમ જ?
શું લૂંટાતી રહેશે સ્ત્રીની લાજ આમ જ?
શું હજુય હેરાન થશે વહુ દિકરાનાં જન્મ માટે?
શું હજુય હોમાતી રહેશે દિકરીઓ દહેજ માટે?
વેચાય છે કુમળી કળી જેવી દિકરીઓ,
ક્યારે બંધ થશે આવા વેપારો?
શા માટે દુશ્મન બન્યો છે માનવી જ માનવીનો?
શાને કરે છે દાવપેચ જીતવાને?
શું થાય છે સૂર્યોદય આ માટે?
😢😢😢
- સ્નેહલ જાની