કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,
પણ,એને હૃદય માં પધરાવવા તો,
રાધા થવું પડે...

કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ
સ્વયં ને એનામાં સમાવવા તો ,
મીરા થવું પડે...

કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે,
પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,
એને અર્પણ કરવા તો,
સુદામા થવું પડે...

કૃષ્ણ ભજવા સેહલા છે ,પણ
મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,
એને બોલાવવા તો ,
દ્રૌપદી થવું પડે...

કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે,
પણ, એના વૈભવ ને નકારી ,
એની મિત્રતા ને પામવા તો ,
અર્જુન થવું પડે...

કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે,
પણ, એની શિક્ષા ની લાજ માટે,
સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,
અભિમન્યુ થવું પડે...

ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે,
પણ, ઈશ્વર થઈને માણસની
વેદના ભોગવવા તો,
માત્ર 'કૃષ્ણ' જ થવું પડે..!

Gujarati Blog by Krishna : 111802533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now