નાનકડી અમથી વાત છે પણ સ્વાનુભવની છે
ઘણી વખત એવા માણસ કેમ મળી જાય છે
કે જીવનમાં કોઇના પ્રત્યે લાગણી ના જન્મી હોય ને
આમના માટે જન્મી જાય છે.
વાત અહી ખત્મ નથી થતી....
આ જ લાગણીઓ તમે સામેવાળી વ્યક્તિને સમજાવી પણ નથી શકતા.
દરેક રીતે સમજાવવા મથતા વાત ને લાગણીનો અંત થઇ જાય છે.....
કારણ તે સમજી નથી શકતા.....
ત્યારે ખરેખર થાય છે કે શા માટે?
મસ્ત મૌલા જેવા આનંદમાં રહેતા હતા...એકલા હતા પણ એકલા ન હતા....
પણ હવે દરેક રીતે એકલા થઇ ગયા છીએ....
આ થતા પહેલા મોત જ કેણ નથી આવી જતું....
શાંતિ ને આનદ રહેત કે એક જ હતા ને એક જ રહ્યા.
ને સંતોષથી મૃત્યુ પણ આનંદદાયી રહે.