#Shivratri
જેના વિના અસંભવ છે,આ પૃથ્વી પર એક પણ જીવ,
જેના માં નથી કપટ કે લોભ શરણે લે છે એ એવા જ જીવ,
ભોળાનો ભોળીયો નાથ,નામ છે જેનું શિવ ...શિવ...શિવ..
પાર્વતી ના પતિ છે ,એ ગણેશ કાર્તિક ના છે તાત,
નંદી ના સ્વામી ,હિમાલય ના એ નાથ
નામ છે એનું ભોળાનાથ,ભોળાનાથ..
ભભૂતિ નો શણગાર,જેના ગળા માં કાલિયો નાગ,
સ્મશાન જેની કર્મભૂમિ,એ તો છે ભૂતો ના નાથ,
સદાય સાથે રહે જેનો હાથ પકડે ભોળોનાથ...