"મૂંઝવણ"

આજે ચોપડે કંઈક ચીતરવાનુ મન થાય છે,
પેન તો ઉપાડી આમ; પણ ભાવ ક્યાં સમજાય છે!

વલોપાત છે મનમાં ઘણો; કશું ય કયાં કળાય છે?
વિચારો ના વમળમાં, આ માણસ ગૂંચવાય છે.

કેટલો વાતોડિયો છે! એવું આમ તો કહેવાય છે,
પણ મનનો ખાલીપો કયાં કોઈ થી પરખાય છે!

આગળ વધવાની સફર ડગમગતી દેખાય છે,
અહીં એક જો સાંધે; ત્યાં તેર તૂટી જાય છે.

કયાંક લીટીઓ દોરાય છે ને કયાંક એ ભૂંસાય છે;
આમ જ ઘૂંટાતી કલમ, આકૃતિ થઈ જાય છે.
-વિધિ

-Vidhi

Gujarati Poem by Vidhi : 111779583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now