ખુશકિસ્મત છે એ જેના દિલમાં છે ઉદારતા;
જગત ઝૂકે છે ત્યાં જેના દિલમાં છે વિશાળતા;
કોઈકની ભૂલ ક્યારેક હોઈ શકે છે મજબૂરી,
ભૂલને ભૂલી માફ કરવું એજ તો છે મહાનતા;
સમજે છે હરકોઇ પણ અમલ ક્યાં કરે કોઈ?
આતો રહી છે સદા માનવ જીવનની કરુણતા;
પર પીડા જોઈ જો ભરાઈ આવે તારી આંખો,
સમજ તારામાં હજુ પણ જીવિત છે માનવતા;
જન્મ અને મરણ તો છે જીવનનો ક્રમ "વ્યોમ"
પર કાજે જીવી ગયા એની છપાય છે વારતા;
... © વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર