વગર વિચાર્યે જ લોકો અહીં ધારણાઓ બાંધી લે છે
નથી જાણતા કશુંએ તેમ છતાં જાણે કેટલું જાણી લે છે
ન જાણવા છતાં કોણ જાણે કેટલુંય પાછળથી કહી દે છે
ન જાણે કેટલુંય ન જાણ્યું બકી દે છે
શું જાણે આ ધારણા કરવાવાળા કે વાસ્તવિક જીવન
જીવનાર ની મનોદશા શું હશે ?
બની શકે કે બહારથી એ શાંત દેખાય છે Bindu Anurag
પણ એની અંદર એટલું જ તુફાન હશે
અથવા તો બની શકે એવું કે બહારથી દેખાય છે મજબૂત
પણ અંદરથી એ એટલો જ તૂટેલો હશે
વગર વિચાર્યે જ લોકો અહીં ધારણાઓ બાંધી લે છે
એક સત્યને છુપાવવા માટે ન જાણે કેટલાય અસત્યો બોલી દે છે
સાચું નહીં પણ સારું સમાજને દેખાડવા માટે જીવન જીવી લે છે
ન જાણે કેટલાય જુઠ્ઠાણાંવો થી એક સત્ય છુપાવી દે છે...
જય શ્રી કૃષ્ણ 🙏
05:32 AM
23/11/21
-Bindu _Anurag