આટલી બધી ચિંતાઓ કેમ???
આટલો બધો સંઘર્ષ કેમ??
આ બધી તકલીફ મારા માથે જ કેમ??
હું પરીક્ષામાં પાસ થઈશ કે નહીં?
મને નોકરી મળશે કે નહીં ??
હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકીશ કે નહીં ??
પરિવાર કે પ્રેમ??
આજે રાત્રે પણ મારે ભૂખ્યું સુવું પડશે કે કેમ?
દરરોજના ઘરના ઝઘડા કેમ??
આટલો બધો કંકાસ??
"બસ હવે બહુ થયું"
"બસ હવે સહન નહીં થાય"
આટલા બધા વિચારોની હદ વટાવી અંતે જ્યારે માનવી એક વિચાર પર આવીને અટકે તે છે "આત્મહત્યા".....
જ્યારે લાગે કે હવે આગળ કોઈ રસ્તો જ નથી, દુઃખ, તકલીફો, સંઘર્ષમાંથી ઉગરવાનો કોઇ વિકલ્પ નથી.ત્યારે આંખ બંધ કરીને મનમાં ભગવાનનું નામ લઈને સહારો લેજો તો માત્ર અને માત્ર શ્રીમદ્ ભગવદગીતાનો.....
જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ સદા સહાયતે